વૈશ્વિકસ્તરે ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણો જણાવો. ભારત ઉપર થનારી અસરો જણાવો. ભારત માટે ઉચિત લાંબાગાળાના પગલાં સૂચવો

પ્રશ્ન:  વૈશ્વિકસ્તરે ક્રૂડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણો જણાવો. ભારત ઉપર થનારી અસરો જણાવો. ભારત માટે ઉચિત લાંબાગાળાના પગલાં સૂચવો. (GS-3)

Question: Crude oil price are increasing at global level. Give reasons. Explain its’ impact on India. Suggest long term measures for India. (GS-3)

જવાબ:

રશિયા યુક્રેન યુદ્ધ સંદર્ભે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ૧૦૦ $ થી વધી ચૂક્યા છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી વધી રહેલા ક્રૂડના ભાવો માટે એક કરતા વધુ કારકો જવાબદાર છે.

ભાવ વધારાના કારણો

  1. COVID-19ની અસરો
  2. COVID-19 દરમિયાન OPEC+ રાષ્ટ્રો દ્વારા ઘટાડવામાં આવેલું ઉત્પાદન.
  3. વૈશ્વિક અર્થતંત્રમાં મહામારી બાદ ઝડપી સુધારો થતાં માંગમાં વધારો.
  4. OPEC રાષ્ટ્રો દ્વારા મર્યાદિત ઉત્પાદન વધારો.
  5. વૈશ્વિક સપ્લાય ચેઈનમાં થયેલું ભંગાણ.
  6. ક્રોસ ઈલાસ્ટીસિટી (CROSS ELASTICITY)
  7. અન્ય કોમોડિટીની અછતના લીધે ક્રૂડની માંગમાં વધારો થયો છે.
  8. ઉદા. તાજેતરમાં વૈશ્વિક સ્તરે સર્જાયેલ કોલસાની અછત
  9. રશિયા યુધ્ધના લીધે યુરોપમાં નેચરલ ગેસ સપ્લાયમાં ભંગાણ થવાની નીતિ.
  10. અન્ય કારણો
  11. અમેરિકા દ્વારા ઈરાન ઉપર લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધો.
  12. સાઉદી અરેબિયામાં રીફાઇનરી ઉપર કરવામાં આવેલા હુમલાઓ.

ભારત ઉપર થનારી અસરો

  • ભારત પોતાની જરૂરિયાતના 80% ક્રૂડની આયાત કરે છે. આથી વધતા ક્રુડ ઓઈલના ભાવોની ભારત જેવા દેશો ઉપર બહુઆયામી અસરો થાય છે.
  • Current account deficit માં વધારો.
  • વિદેશી હૂંડિયામણમાં ઘટાડો.
  • ડોલર સમક્ષ રૂપિયો નબળો બનશે.
  • ભારતમાં સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડીઝલ, એવિએશન ફયુલ વગેરેના ભાવમાં વધારો.
  • પરિવહન ખર્ચ વધતા ફુગાવાનો દર વધશે.
  • સરકાર ઉપર ફયુલ ટેક્ષ ઘટાડવા દબાણ થવાની સંભાવના.
  • બજેટ ખાદ્યમાં વધારો થશે.

લાંબાગાળાના પગલાઓ

  • ક્રૂડની આયાતના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવું.
  • ક્રૂડની સ્થાનિક ઉત્પાદકતા વધારવી.
  • બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ વધારવો. ઉદા. ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવું.
  • હાઈડ્રોજનની ઉર્જા સ્ત્રોત તરીકેની વ્યવહારિકતા તપાસવી.
  • ઈથેનોલ બ્લેન્ડીંગ પ્રોગ્રામને વેગ આપવો.

સતત વિકાસ લક્ષ્યાક 9 હાંસલ કરવા ભારતે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા કેળવવી અનિવાર્ય છે.

Leave a Comment

error: Content is protected !!