પ્રશ્ન: ભારત હરિતક્રાંતિની નકારાત્મક અસરો ભોગવી રહ્યું છે. વર્તમાન સમયમાં ભારતને ‘કલાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર’ ની તાતી જરૂરિયાત છે. વિશ્લેષણ કરો. (GS-3)
Question: India is witnessing negative implications of ‘Green revolution’. At present ‘Climate Smart Agriculture’ is need of time. Evaluate. (GS-3)
જવાબ:
ભારત ખાદ્યસુરક્ષાને સંતોષવામાં હરિતક્રાંતિનો ફાળો અનન્ય રહ્યો છે પરંતુ વર્તમાનમાં ભારત હરિતક્રાંતિની નકારાત્મક અસરો ભોગવી રહ્યું છે.
નકારાત્મક અસરો
- રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ
- જમીનની ફળદ્રુપતા ઘટી અને સાંદ્રતા વધી છે.
- મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં (માત્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં)
- મર્યાદિત પાકો માટે હરિતક્રાંતિ શક્ય બની છે. આથી ઘઉં અને ચોખા આધારિત ‘Monocropping’ ની સમસ્યા ઉદભવી છે.
- પાણીની વધુ માંગના લીધે ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ.
- ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર વિસ્તારમાં ભૂગર્ભ જળનો જથ્થો સમાપ્ત થવાના આરે છે.
- નીતિ આયોગ અનુસાર ભારત ચોખા અને ખાંડના સ્વરૂપમાં ‘પાણીની નિકાસ’ કરી રહ્યું છે.
- કૃષિ ક્ષેત્રમાં મર્યાદિત ખાનગી રોકાણ.
- કૃષિ જમીનનું વિભાગીકરણ. (Fragmentation of land holding)
- ઉત્પાદકતામાં ઘટાડો થતા કૃષકોની આવકમાં ઘટાડો.
કલાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર જરૂરિયાત
- ભારતનો 55% કૃષિ વિસ્તાર હજુ વરસાદ આધારિત છે જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસરો ભારતના કૃષિ ક્ષેત્ર ઉપર થનાર છે.
- ‘Drought resilient crop’ની જરૂરિયાત.
- ખાદ્યસુરક્ષાની સાથે પોષણસુરક્ષા માટે ધાન્ય પાકો, કઠોળ વગેરેનો પ્રોત્સાહન આપવા.
- કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ ભારતમાં ગ્રીન હાઉસ ગેસના (14%) ઉત્પાદન માટે જવાબદાર ત્રીજા ક્રમનું ક્ષેત્ર છે. વળી મિથેનના ઉત્પાદનમાં 73% સાથે આ ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે.
- ભારતના પેરિસ કલાઈમેટ ડીલ અંતર્ગતના કરારોની પૂર્તિ માટે.
- કૃષિની ઉત્પાદકતા, સંતોષીતા વધારવા અને કૃષકોની આવક બમણી કરવા.
- ‘ખાદ્ય-પાણી-ઉર્જા’ વચ્ચેનું વિષચક્ર (vicious cycle) તોડવા.
પગલાઓ
- GM technology નો ઉપયોગ કરી Drought resilient crop વિકસાવવા.
- સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવું.
- ડ્રીપ અને માઇક્રો ઇરીગેશનને પ્રોત્સાહન આપવું.
- PM-Aasha યોજના અંતર્ગત અન્ય પાકોને પ્રોત્સાહિત કરવા.
ભારતીય કૃષિને સંપોષિત બનાવવા, સમગ્ર ખાદ્ય ચેઈનને પોષણયુક્ત બનાવવા અને ભારતના કૃષકોના હિતોની જાળવણી માટે ભારતને Evergreen revolution ની જરૂરિયાત છે.