સુભાષચંદ્ર બોઝની નીતિ-રીતિની સાંપ્રત સમયમાં ચર્ચા કરો.

પ્રશ્ન: સુભાષચંદ્ર બોઝની નીતિ-રીતિની સાંપ્રત સમયમાં ચર્ચા કરો. (GS-1)

Question: Discuss relevance of ideology & actions of Subhas Chandra Bose in presence context.  (GS-1)

જવાબ:

     ભારત સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે. આ સંદર્ભે તેમની નીતિ-રીતિની વર્તમાન સંદર્ભમાં      પ્રાસ્તવિકતા તપાસવી અનિવાર્ય છે.

1. અનન્ય રાષ્ટ્રભક્તિ

·      ‘ડોમેનિયન સ્ટેટ્સ’ વિરુદ્ધ સંપૂર્ણ આઝાદીની માંગ.

·      ગાંધીજી દ્વારા ‘દેશભક્તોમાં દેશભક્ત’ની ઉપાધી.

·      વર્તમાન સમયમાં વધી રહેલા આત્યંતિક રાષ્ટ્રવાદ, ધર્માધતા, વગેરે સંદર્ભે નાગરિકોમાં ટોચની રાષ્ટ્રભક્તિ જરૂરી છે.

2. ધર્મનિરપેક્ષતા

·      વર્તમાનમાં હિજાબ વિવાદ, સોશિયલ મીડિયામાં ‘બુલી બાઈ’ જેવી એપ્લીકેશનના માધ્યમથી ધાર્મિક તંગદિલી ઊભી થઈ છે એ સંદર્ભ સુભાષચંદ્ર બોઝની ધર્મનિરપેક્ષ વિચારધારા પ્રાસ્તાવિક છે.

3. મહિલા સશક્તિકરણ

·      વર્તમાનમાં –સૈન્યમાં મહિલાઓની મર્યાદિત હાજરી.

·      સંસદ, શ્રમ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રમાં પુરુષોની સાપેક્ષમાં ઓછી હાજરી.

·      સુભાષચંદ્ર બોઝ દ્વારા લૈંગીક સમાનતાની વિચારધારા હેઠળ ‘રાણી લક્ષ્મિબાઈ રેજીમેન્ટ’ નામની વિંગ ‘આઝાદ હિંદ ફોજ’માં સ્થાપી હતી.

4. ધ્યેયની નૈતિકતા

·      સુભાષચંદ્ર દ્વારા ‘માર્ગ’ અને ‘ધ્યેય’ ની નૈતિકતામાંથી ધ્યેયની નૈતિકતાને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. તેમના મતે હિંસાના માર્ગે પણ સ્વતંત્રતા મેળવવી ઉચિત હતી.

·    વર્તમાનમાં રશિયા-યુક્રેન યુધ્ધમાં સ્વતંત્રતા માટે હાર્ડ પાવરની પ્રસ્તાવિકતા ફરી એક વખત પૂરવાર થઈ છે.

      5. સમાનતા

·      સુભાષબાબુ દ્વારા ‘સ્વતંત્ર ભારત સરકાર’ તેમજ આર્મીમાં તમામ જાતી, વર્ગ વગેરેના લોકોનો સમાવેશ આપ્યો હતો.

      6. આયોજનબદ્ધ આર્થિક વિકાસ

·      વર્તમાનમાં ભારતીય અર્થતંત્રને ૫ ટ્રીલીયન ડોલરનો લક્ષ્યાંક હાંસિલ કરવા અને મહામારી બાદ મજબૂત અર્થતંત્ર બનાવવા ઔદ્યોગિકીકરણ અને આધુનિકતા આધારિત આર્થિક વિકાસની તાતી જરૂરિયાત છે.

     7. મીડિયાનો યથાર્થ ઉપયોગ

·      લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા મીડિયાનો જનસમૂહ હિતાર્થે શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે. સુભાષચંદ્ર બોઝ દ્વારા આ કાર્ય ન્યુઝપેપર (ફોરવર્ડ અને સ્વરાજ), રેડિયો (આઝાદ હિન્દ રેડિયો) ના માધ્યમથી કર્યું હતું.

            ગાંધીજી અને સુભાષબાબુની નીતિ-રીતિમાં ભેદ હોવા છતાં બંને એકબીજાના પ્રત્યે આદર ધરાવતા હતા. ગાંધીજીને સુભાષચંદ્ર દ્વારા આપવામાં આવેલું ‘રાષ્ટ્રપિતાનું બિરુદ’ આ વાતનો પુરાવો છે.

Leave a Comment

error: Content is protected !!